Shivoham, shivoham
કાળજાળ ગરમીમા વનસ્પતિ થી લઈને માણસો સુકાઈ ગયા છે. શાખાઓ ખાલી થઈ જાય છે. આ ચિત્રમા શાખાઓએ શીતળતાનો સંદેશ આપતા હોયને, એવો પૂર્ણિમાના ચાંદનો આકાર લઈને શીતળતા પામી અને પ્રસરી રહ્યાં છે. જીવનમા ઘાવ ઘેરા હોય, કસોટી ના સમય હોય, ત્યારે જ ખુશ મન છીએ અને ખુશી ફેલાવ્યે એવી કાર્ય કરતાં રહીએ તો કપરો સમય પણ ક્યા પુરો થઈ જાય એની કોઈ ને ખબર રેહેતી નથી. જે ચિત સુખમા સુખી, અને દુખમા પણ સુખી રહી શકે છે, તેને જ તો આપણે ચિતાનંદથી જાણીએ છે. હું, તમે અને સર્વ આ પાન વગરની શાખાઓની જેમ ક્યારેક તો એક પડાવમા ખૂબ ખાલીપો અનુભવ્યો હશે, પણ શું તે સમયને પણ ખુશીથી આવકારી અને પસાર કરી શક્યા છે? તો આપણે પણ ચિતાનંદ સ્વરૂપમ્ શિવોહમ્ શિવોહમ્....🙏🏻😊